
ઘણાં લાંબા સમયથી બિમારીઓથી પરેશાન છે અમિતાભ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું કે શનિવારે તેમના પેટની સર્જરી કરવામાં આવશે.
અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, ‘આજે પણ મારા કેટલાંક મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યા અને હું મારા બહોળા પરિવારને જણાવવા માંગું છું કે 11 ફેબ્રુઆરીના રોજ સવારે મારા પર સર્જરી કરવામાં આવશે. ડોક્ટરોએ જણાવ્યું છે કે સર્જરી ખાસ ગંભીર નથી.’
અમિતાભે આગળ જણાવ્યું હતું કે, ‘મને ઇન્જેક્શન્સ અપાઈ રહ્યા છે, અને હજી થોડા દિવસ સુધી ઈન્જેક્શન્સ લેવાં પડશે. કાલે સિટીસ્કેન કરાવતાં પેટમાં તકલીફ હોવાની જાણ થઈ. થોડા દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડશે. હોસ્પિટલમાંથી મળતા ન્યૂઝ કંટાળાજનક હોઈ શકે છે, પણ હું શક્ય હોય ત્યાં સુધી તમને જાણ કરતો રહીશ.’
69 વર્ષીય અભિનેતા ઘણાં લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પરેશાન છે.
Related Articles:
જ્યારે અમિતાભ ખોવાઈ જાય છે જીયા ખાનના ચુંબનમાં!
અમિતાભ રેખા માટે તીનપત્તીની બાજી હારતો જ ગયો, કેમ?
ફિલ્મસ્ટારોની દરેક ફિલ્મ માટે લે-વેચ થતી હોય છે : અમિતાભ
સિદ્ધપુરમાં અચાનક જ ભાવુક અમિતાભ બચ્ચન રડી પડ્યાં
હવે અમિતાભ બચ્ચન મૂકશે ડાંગની ‘ખૂશ્બુ’ને વિશ્વફલક પર